સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના આગિયામાં હોળીની અનોખી પંરપરા છે. અહી ધગધગતા અંગારા પર લોકો ઉઘાડા પગે ચાલે છે અને અંગારા પર ચાલવા છતાં કોઇ દાઝતા ન હોવાનો દાવો કરાયો છે. આ ચમત્કાર પાછળ હોલિકાદેવીનો પ્રતાપવાની માન્યતા છે.
પાંડવકાળથી ચાલતી અંગારાં ઉપર ચાલવાની પરંપરા
સમગ્ર વિશ્વમાં હોળીનો પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે ખેડબ્રહ્માના આગિયામાં અનોખી હોળીનું દ્રશ્ય જોવા મળે છે. વનવાસી વિસ્તારમાં પાંડવકાળથી ચાલતી અંગારાં ઉપર ચાલવાની પરંપરા આજે પણ યથાવત છે.













