આ સમગ્ર મામલે વિધાર્થીનીઓનું કહેવું છે કે, વોર્ડને રજૂઆત કરવા છત્તા કોઈ પગલા ભરવામાં આવતા નથી અને વોર્ડનના વર્તનથી વિદ્યાર્થીનીઓમાં ભારે રોષ ફેલાયો છે, છેલ્લા અઠવાડિયાથી પજવણી થતી હોવાનો આક્ષેપ વિધાર્થીનીઓ કરી રહી છે, નડિયાદ પીજ રોડ કેનાલા પર આ છાત્રાલય આવેલી છે.
નડિયાદ અનુસૂચિત કન્યા છાત્રાલયમાં અસામાજિક તત્વોનો ખૌફ
નડિયાદ પીજ રોડ કેનાલ ઉપર આવેલ છાત્રાલયમાં વિધાર્થીનીઓ અસામાજિક તત્વોના ત્રાસથી કંટાળી ગઈ છે અને રાત્રે છાત્રાલયમાં પથરા ફેંકવાની અને લાઈટના ફોક્સની ઘટનાથી 50થી વધુ વિદ્યાર્થીનીઓને આખી રાત ઉજાગરો કરવો પડે છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે, છેલ્લા એક અઠવાડિયાથી અસામાજિક તત્વો હેરાન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, તો વિધાર્થીનીઓનું કહેવું છે કે, વોર્ડન સમક્ષ રજૂઆત છતાં અમારી વાત સાંભળવામાં આવતી નથી.













