જુનાગઢ જિલ્લાના માંગરોળ નજીકના નાંદરખી ગામમાં બે જૂથ વચ્ચે અગાઉ થયેલા મનદુ:ખને લઈને મારામારી અને અથડામણ થઇ છે. આ ઘટનામાં મહિલા સહિત ત્રણથી વધુ લોકો ઘાયલ થયા છે.
લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગામમાં ભારે તણાવનો માહોલ છવાયો છે . ગામમાં ઘટનાના પગલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.













