અરવલ્લી જિલ્લાના મેઘરજના ખેડૂતો આજે પુરતુ ખાતર ના મળતા ભારે હોબાળો મચાવ્યો છે. ખેડૂતોએ કૃષિ સંઘની ઓફિસમાં સમગ્ર દિવસ રજાનું બોર્ડ લાગતા ગુસ્સે ભરાયા હતા અને ખેડૂતો દ્વારા ગોડાઉનનં લોક તોડી નંખાયું હતું.
ગોડાઉનમાં રહેલું ખાતર રાજસ્થાન મોકલાઇને ત્યાં વેચાયું હોવાનો આરોપ
ખેડૂતોએ આક્ષેપ કર્યો કે ગોડાઉનમાં પૂરતું યુરિયા ખાતર સ્ટોક હોવા છતાં તેમને ખાતર આપવામાં નથી આવતું. વધુમાં, તેમનું કહેવું છે કે ગોડાઉનમાં રહેલું ખાતર રાજસ્થાન મોકલાઇને ત્યાં વેચાયું છે. આ કારણસર છેલ્લા 15 દિવસથી ખેડૂતો વલખાં મારી રહ્યા છે













