મહેસાણાના બાદલપુરનો એક પરિવાર લિબિયામાં બંધક બન્યાની ચિંતાજનક ઘટના સામે આવી છે. વડોદરાના વિઝા અને વિદેશ ટ્રાવેલ ક્ષેત્રના નિષ્ણાત દિવ્યાંગ ગાંધીના જણાવ્યા મુજબ, આ સતત બીજી ઘટના છે. અગાઉ મહેસાણાના એક બીજા પરિવાર સાથે પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી
વિશ્વાસુ એજન્ટની મદદ લેવી ખૂબ જ જરૂરી છે
દિવ્યાંગ ગાંધી જણાવે છે કે લોકો વિદેશ જવાનું ઈચ્છતા હોય ત્યારે વિશ્વાસુ એજન્ટની મદદ લેવી ખૂબ જ જરૂરી છે. લેભાગુ એજન્ટ કોઈપણ સોર્સ પરથી લોકોને લઈ જવા તૈયાર રહે છે, અને વિદેશ જવા ઇચ્છનાર લોકો એમની પાસે જતાં હોય છે, તેમ તેમણે જણાવ્યું.













