નડિયાદની દિનશા પટેલ નર્સિંગ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થી જય પાટીલની આત્મહત્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે મૃતકની માતાએ કોલેજના આચાર્ય સહીત પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.
મૃતકની માતાએ ફરિયાદ નોંધાવી
વરસોલા પીએચસીમાં ફરજ બજાવતા મૃતકની માતા ઉર્મિલાબેન પાટીલે નડીયાદ રુરલ પોલીસમાં આચાર્ય સહિત પાંચ શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.













