ઓસ્ટ્રેલિયા અને કેનેડાના વિઝા અપાવવાના બહાને 25 લોકો સાથે કુલ રૂપિયા 2.02 કરોડની ઠગાઈ કરવાના મામલે નડિયાદના એક વિઝા એજન્ટ સામે ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર મામલે આર્થિક ગુના નિવારણ શાખા (EOW) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
બનાવટી લેટરો તૈયાર કરી ફરિયાદીઓને આપ્યા
પ્રાપ્ત માહિતી મુજબ, નડિયાદના જલ્પેશ ઠક્કરે પોતે વિઝા એજન્ટ હોવાનું જણાવી અનેક લોકોને વિદેશ મોકલવાના વચનો આપ્યા હતા. આરોપ છે કે તેણે ઓસ્ટ્રેલિયા અને કેનેડાના વિઝા મંજુર થયા હોવાનું દર્શાવવા માટે બનાવટી લેટરો તૈયાર કરી ફરિયાદીઓને આપ્યા હતા.













