આજે પોષી પૂનમના પવિત્ર અવસરે નડિયાદ સ્થિત પ્રસિદ્ધ સંતરામ મંદિરે પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી યોજાશે. આ અવસરે મંદિર પરિસરમાં ધાર્મિક આસ્થા અને ભક્તિનો માહોલ સર્જાશે અને મોટી સંખ્યામાં ભક્તો ઉજવણીમાં સામેલ થશે.
ઉછામણી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે
પોષી પૂનમ નિમિત્તે સંતરામ મંદિરે પરંપરાગત રીતે બોરની ઉછામણી કરવામાં આવશે. ઉછામણીની આ અનોખી પરંપરા ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. ઉછામણી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે, જેમાં ભજન-કીર્તન અને ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે.













