નર્મદા જિલ્લાનું કેવડિયા પ્રવાસન ધામ નવા વર્ષની ઉજવણીમાં સૌથી વધુ આકર્ષણ જમાવી રહ્યું છે.હાલ રોજના 50થી 60 હજાર પ્રવાસીઓ આવતા SOU સત્તામંડળ દ્વારા પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. SOUમાં એક દિવસમાં સાત હજાર લોકોને પ્રવેશ અપાશે. પ્રવાસીઓની સંખ્યા વધતા તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
7000 પ્રવસીઓને આજથી પ્રવેશ મળશે
ડિસેમ્બરના અંતમાં ગુલાબી ઠંડીના વાતાવરણમાં નર્મદા જિલ્લો પ્રવાસીઓ ફરવા માટે હોટ ફેવરીટ બન્યો છે.ખાસ કરીને વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હાલ નાતાલ બાદ પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. પ્રવાસીઓનો ધસારો અને ઓનલાઇન બૂકિંગ ફૂલ થઇ જતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓની એન્ટ્રીની મર્યાદાઓ વધારી દેવામાં આવી છે. પહેલા પાંચ સ્લોટમાં વ્યૂ ગેલેરી 500 હતી. જેમાં રોજની 5500 કરવામાં આવી છે એટલું જ નહીં ટોટલ 7000 પ્રવસીઓને આજથી પ્રવેશ મળશે.સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિવારે 50 હજાર અને રવિવારે 70 હજાર કરતા વધુ પ્રવાસીઓ નોંધાયા છે.













