નવસારી જિલ્લામાં બાળકને શિક્ષક દ્વારા માર મારવાની ઘટનાના પગલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને DEOએ તપાસ માટે એક ખાસ ટીમને ઘટનાસ્થળે મોકલી છે. આ તપાસમાં બાળ સુરક્ષા એકમની ટીમ પણ જોડાઈ છે. આ ટીમ સંયુક્ત રીતે સમગ્ર ઘટનાની વિગતો મેળવશે અને રિપોર્ટ તૈયાર કરશે.
રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી થશેઃ DEO
આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી હોવાથી જિલ્લા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક વીડિયો કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના તમામ શાળા સંચાલકોને વિદ્યાર્થીઓને માર ન મારવા અંગે કડક સૂચનાઓ આપવામાં આવી છે. તપાસ ટીમનો સંપૂર્ણ રિપોર્ટ આવ્યા બાદ શિક્ષક કે સંચાલકો વિરુદ્ધ નિયમોનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ DEO દ્વારા જણાવાયું છે.













