દક્ષિણ ગુજરાતના રાજકારણમાં સાંસદ ધવલ પટેલે વિપક્ષી નેતાઓ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. નવસારીના સાંસદ ધવલ પટેલ દ્વારા આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા હતા. તેમણે આ ધારાસભ્યોને આદિવાસી વિરોધી ગણાવ્યા છે. ધવલ પટેલે દિલ્હીની ઘટનાથી લઈને ડાભેલ હત્યાકાંડ સુધીના મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા.


બિરસામુંડાની પ્રતિમા અને રાષ્ટ્રપતિ ચૂંટણીનો ઉલ્લેખ

સાંસદ ધવલ પટેલે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ચૈતર વસાવાની પાર્ટીના કાર્યકરોએ દિલ્હીમાં ભગવાન બિરસામુંડાની પ્રતિમા હટાવી આદિવાસીઓનું અપમાન કર્યું છે. વધુમાં, કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર પ્રહાર કરતા કહ્યું કે, રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે કોંગ્રેસે આદિવાસી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારનો વિરોધ કરીને પોતાની આદિવાસી વિરોધી માનસિકતા સ્પષ્ટ કરી દીધી હતી.

"વાંસદાના ધારાસભ્ય AAPમાં જોડાવાની તૈયારીમાં"

ધવલ પટેલે એક મોટું નિવેદન આપતા જણાવ્યું કે, વાંસદાના 'ઠગ' ધારાસભ્ય આગામી ચૂંટણીમાં પોતાની પાર્ટી બદલીને આમ આદમી પાર્ટીમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે. આ ઉપરાંત, નવસારીના ડાભેલમાં કસાઈઓ દ્વારા આદિવાસી યુવકની થયેલી હત્યાના મુદ્દે પણ તેમણે વિપક્ષી નેતાઓની ચુપકીદી સામે સવાલ ઉઠાવ્યા હતા.

આરક્ષણ મુદ્દે રાહુલ ગાંધી પર નિશાન

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 'બોલતો પોપટ' ગણાવતા સાંસદે કહ્યું કે, રાહુલે અમેરિકામાં નિવેદન આપ્યું હતું કે, તેમની સરકાર આવશે તો આદિવાસી આરક્ષણ હટાવી દેશે. આ મુદ્દે હૂંકાર કરતા ધવલ પટેલે જણાવ્યું કે, "જ્યાં સુધી હું બેઠો છું ત્યાં સુધી આદિવાસીઓના આરક્ષણમાં નાનો ફેરફાર પણ થવા દઈશ નહીં."

આ પણ વાંચો -


  • Follow us on: