ગુજરાતના રાજકારણના એક અનુભવી અને પંચમહાલના દિગ્ગજ નેતા ઉદેસિંહ બારીયાનું ટૂંકી માંદગી બાદ નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હોવાથી વડોદરા ખાતે સારવાર હેઠળ હતા, જ્યાં આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાનથી પંચમહાલ સહિત સમગ્ર ગુજરાતના રાજકીય આલમમાં શોકની લહેર ફરી વળી છે.


રાજકીય સફર અને પ્રદાન

મૂળ જાંબુઘોડા તાલુકાના ડુમાં ગામના વતની એવા ઉદેસિંહ બારીયા હાલોલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય તરીકે લાંબો સમય સેવા આપી ચૂક્યા છે. કોંગ્રેસ શાસન દરમિયાન તેઓ ગુજરાત સરકારમાં કાયદા મંત્રી તરીકેની મહત્વની જવાબદારી સંભાળી ચૂક્યા હતા. તેઓ પંચમહાલ જિલ્લાના પાયાના નેતા ગણાતા હતા અને છેલ્લે સુધી રાજકારણમાં સક્રિય રહીને પ્રજાના પ્રશ્નો માટે લડત આપતા રહ્યા હતા.

પરિવાર અને પંથકમાં શોક

ઉદેસિંહ બારીયાના નિધનના સમાચાર મળતા જ કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો વડોદરા અને તેમના વતન ખાતે ઉમટી પડ્યા હતા. રાજકીય નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા જણાવ્યું હતું કે, પંચમહાલ જિલ્લાએ એક પ્રભાવી અને લોકપ્રિય જનપ્રતિનિધિ ગુમાવ્યા છે. તેમના પાર્થિવ દેહને વતન ડુમાં ખાતે અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવશે.


આ પણ વાંચો - Panchamahal News : ચૈત્ર નવરાત્રિમાં પાવાગઢ મતાજીના દર્શને આવેલો વડતાલનો યુવક ખીણમાં પડ્યો


  • Follow us on: