પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીની સખ્ત કાર્યવાહી હેઠળ પંચમહાલ જિલ્લામાં 29 તલાટીઓની એકસાથે બદલી કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગામના તલાટી દ્વારા આચરાયેલ લગ્ન નોંધણી કૌભાંડને ધ્યાનમાં રાખીને આ કડક પગલાં લેવામાં આવ્યા છે.
તલાટીઓની બદલી માટે જિલ્લા સ્તરે નિર્ણય
વર્ષો સુધી એક જ ગ્રામ પંચાયતમાં ચીટકી રહેલા આ તલાટીઓની બદલી માટે જિલ્લા સ્તરે નિર્ણય લેવામાં આવ્યો છે. 5 વર્ષથી વધારે સમય સુધી એક જ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા 29 તલાટીઓની બદલી કરાઇ છે













