આણંદ જિલ્લાના પેટલાદના રૂપિયાપુરા ગામે ઠાકોર સમાજના સરપંચ રમેશ ઠાકોર પર હુમલાનો બનાવ સામે આવ્યો છે. બનાવ મોડી રાત્રે બન્યો હતો


સરપંચનું ગળુ દબાવી જમીન પર ફેંકી દેવામાં આવ્યા

મામલાની જાણકારી મુજબ ચિરાગ ઉર્ફે ભુરીયો મંગળભાઇ પટેલ નામના શખ્સે સરપંચ પર હુમલો કર્યો હતો અને સરપંચનું ગળુ દબાવી જમીન પર ફેંકી દેવામાં આવ્યા હોવાનો આરોપ લગાવાયો છે

 નાગરિકોએ પોલીસ મથક પર હોબાળો મચાવ્યો

ઘટના બાદ સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ પોલીસ મથક પર હોબાળો મચાવ્યો હતો અને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.

પોલીસે મોડી રાત્રે FIR નોંધીને તપાસ શરૂ કરી

આ ઘટના અંગે પગલાં લેવા પોલીસે મોડી રાત્રે FIR નોંધીને તપાસ શરૂ કરી. ફરિયાદ રૂપિયાપુરા ગામના ચિરાગ ઉર્ફે ભૂરીયો મંગળભાઈ પટેલ સામે દાખલ કરવામાં આવી છે.

ઠાકોર સમાજમાં ભારે રોષ ફેલાયો

હુમલાને લઈને ઠાકોર સમાજમાં ભારે રોષ ફેલાયો છે, અને ક્ષત્રિય સમુદાયમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે.


આ પણ વાંચો----    Banaskantha :ઠાકોર સમાજના બંધારણનો વિવાદ, વિવાદીત ગીત બાદ કલાકાર સુનિલ ઠાકોરે માફી માગી

  • Follow us on: