પોરબંદર શહેર અને જીલ્લામાં સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટે તંત્ર મેદાને આવતા દબાણ કર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. પોરબંદર શહેરના ખાપટ વિસ્તારમાં સરકારી જમીન પર ખેતી અને બાંધકામ કરનારને ત્યાં તંત્ર બુલડોઝર લઇને પહોંચતા દબાણકર્તાઅઓ 10 દિવસમા સ્વૈચ્છિક દબાણ દૂર કરશે તેવી ખાત્રી આપતા તંત્ર દ્વારા મુદત આપવામા આવી છે.
બુલડોઝર લઇને દબાણ દૂર કરવા પહોંચ્યા
પોરબંદર શહેરના ખાપટ વિસ્તારમાં સર્વે નંબર 416મા દબાણ કરવામા આવ્યુ હતુ. વારંવાર નોટીસ આપવા છતા દબાણ દૂર નહીં થતા સીટી મામલતદાર ભરતભાઇ સંચાણીયા પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર લઇને દબાણ દૂર કરવા પહોંચ્યા હતા. મામલતદાર સંચાણીયાના જણાવ્યા અનુસાર સરકારી સર્વે નં-416 પર 2700 ચો.મી ખેતીની જમીન પર દબાણ કરી અને બાજરો અને ઘઉંનું વાવેતર કરી દીધુ હતુ.













