સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામે થયેલી ઘરફોડ ચોરીના ગુનાને ઉકેલવામાં પોલીસ તંત્રને સફળતા મળી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠાએ ઝડપથી કામગીરી કરી અને ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
બંધ મકાનનું તાળું તોડી 14.75 લાખના સોનાના દાગીનાની ચોરી
સોનાસણમાં રહેતા દર્શનાબેન પટેલ ના બંધ મકાનનું તાળું તોડી 14.75 લાખના સોનાના દાગીનાની ચોરી કરવામાં આવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને સીસીટીવી તથા ટેક્નિલ સર્વેલન્સના આધારે તપાસ શરુ કરી હતી.













