રાજકોટ શહેરમાં નકલી દવા કૌભાંડમાં મહત્વનો ખુલાસો થયો છે. સદભાવના મેડિકલ સ્ટોરમાં આ દવાઓ સુરતના ડીલર દ્વારા પહોંચાડવામાં આવી હતી.


 સદભાવના મેડિકલ સ્ટોરે વિટામિન Dની દવા ખરીદી

હોલસેલના વેપારી પાસેથી સદભાવના મેડિકલ સ્ટોરે વિટામિન Dની દવા ખરીદી હતી. ખરીદીના બિલ ન્યૂઝ એજન્સી “સંદેશ ન્યૂઝ”ને પ્રાપ્ત થયા છે.

 ગ્રાહકે દવાના ગુણવત્તા અંગે ફરિયાદ કરી

ગ્રાહકે દવાના ગુણવત્તા અંગે ફરિયાદ નોંધાવતા તપાસ ગ્રાહકે મેડિકલમાંથી ખરીદેલી દવા નકલી નીકળી હતી , દવામાં વપરાતી સામગ્રીનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની નજર સુરતના ડીલર પર કેન્દ્રિત

આ મુદ્દે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની નજર સુરતના ડીલર પર કેન્દ્રિત થઈ છે, જે હોલસેલ વેપારીને દવા સપ્લાય કરતો હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ગ્રાહકે મેડિકલ સ્ટોરમાંથી ખરીદેલી દવા નકલી હોવાનું જાહેર કર્યું.


આ પણ વાંચો----    Gandhinagar : ઠાકોર સમાજનું મહાસંમેલન, સમાજે બંધારણ બનાવ્યું છે તે પાળીશું તેવી પ્રતિજ્ઞા લેવાઇ

  • Follow us on: