રાજકોટમાં યુવકની હત્યાને લઇને રોષ ફાટી નીકળ્યો છે. પીએમ રૂમ બહાર દલિત સમાજના ધરણા યોજાયા હતા જેમાં પોલીસ અને પરિવારજનો વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતું.
મૃતદેહ સીપી કચેરીમાં લઈ જવા માંગતા હતા
મૃતકનો પરિવાર અને સમુદાયના લોકો મૃતદેહ સીપી કચેરીમાં લઈ જવા માંગતા હતા અને ઘર્ષણ દરમિયાન પોલીસ અને પરિવારજનો વચ્ચે તણાવ સર્જાયો હતો. પોલીસ અને પરિવારજનો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.













