રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજે વહેલી સવારથી  તંત્ર દ્વારા ડિમોલીશન કાર્યવાહી શરુ થઇ છે. જો કે આ મેગા ડિમોલિશન દરમ્યાન એક મોટી દુર્ઘટના ટળી હતી.


મોટું મકાન અચાનક જ ધરાશાયી થયું

આ ડિમોલિશન દરમિયાન, એક મોટું મકાન અચાનક જ ધરાશાયી થયું હતું જેના પગલે આસપાસ રહેલા લોકોમાં અને દબાણ તોડી રહેલા કર્મચારીઓમાં અફરા તફરી મચી ગઇ હતી.

અધિકારીઓ માંડ માંડ બચ્યાં

આ દુર્ઘટનાના સમયે મકાનના તૂટી જવા થવાથી સ્થળ પર હાજર અધિકારીઓમાં દોડધામ થઇ ગઇ હતી. એક કર્મચારી માંડ માંડ બચ્યો હતો.


આ પણ વાંચો----   Vadodara : અનગઢ પાસે રેલવે ટ્રેક પર શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળવાના મામલામાં મોટો ઘટસ્ફોટ, પોલીસ પણ ચોંકી ઉઠી

  • Follow us on: