રાજકોટ શહેરમાંથી એક અત્યંત વિચલિત કરી દેનારી ઘટના સામે આવી છે. શહેરના યુનિવર્સિટી રોડ વિસ્તારમાં એક પાળેલા નિર્દોષ શ્વાન પર પિતા અને પુત્રએ અમાનવીય રીતે તૂટી પડી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પશુ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અબોલ જીવ પર લાકડીઓ વડે તૂટી પડ્યા
ઘટનાની વિગત મુજબ, રાજકોટના રહીશ મહેન્દ્રસિંહ અને તેમનો પુત્ર અભિરાજસિંહ કોઈ અગમ્ય કારણોસર રસ્તા પર રહેલા એક અબોલ જીવ પર લાકડીઓ વડે તૂટી પડ્યા હતા. આ પિતા-પુત્રની જોડીએ નિર્દોષ શ્વાનને લોહીલુહાણ કરી નાખ્યો હતો. જ્યારે શ્વાન ચીસો પાડી રહ્યો હતો, ત્યારે તેને બચાવવા માટે હિંમતવાન સ્ત્રી દોડી આવી હતી. જોકે, હેવાનિયત પર ઉતરી આવેલા પિતા-પુત્રએ આ મહિલાને પણ છોડી ન હતી અને તેની સાથે પણ ઝઘડો કરી માર માર્યો હતો.













