રાજકોટના ધોરાજીના ફરેણી ગામે મનરેગામાં ભ્રષ્ટાચારનો કેસ સામે આવતાગ્રામ પંચાયતના સરપંચ સવિતા રાબડીયા તથા તલાટી એમ.વી.વેકરીયા સામે ગુનો નોંધાયો છે. 2010માં ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું હતું . શ્રમિકોના પોસ્ટમાં જમા થયેલા નાણા ઉપાડી લીધા હતા. આ મામલે ધોરાજી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
સરપંચ સહિતના લોકો સામે ફરિયાદ
ફરિયાદી એ ફરેણી ગામના તત્કાલીન સરપંચ સવિતા બેન રાબડીયા તલાટી મંત્રી એમ વી વેકરીયા તથા રોહિત સરધારા(હાજરી પૂરનાર ) જગદીશ રાબડીયા (મસ્ટર માં હાજરી નોંધનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે













