રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશનની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. ટીપી રોડ ઉપર કરવામાં આવેલા દબાણો દૂર કરવા માટે મનપા દ્વારા યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


ટીપી રોડ પરથી આશરે 500 જેટલા દબાણો દૂર

મહાનગરપાલિકાની ટીમે ટીપી રોડ પરથી આશરે 500 જેટલા દબાણો દૂર કર્યા છે. કાર્યવાહી બાદ રસ્તા પર પડેલો કાટમાળ પણ તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યો છે.

હવે 15 મીટર પહોળા ડામર રોડનું કામ શરૂ કરવામાં આવશે

અધિકારીઓના જણાવ્યા મુજબ, કાટમાળ દૂર થતા હવે 15 મીટર પહોળા ડામર રોડનું કામ શરૂ કરવામાં આવશે. દબાણમુક્ત બનાવાયેલા ટીપી રોડ પર ડામર રોડનું કામ વહેલી તકે શરૂ થશે.

બાપુનગરથી નાડોદાનગર સુધીના માર્ગને ડામર રોડ તરીકે બનાવામાં આવશે

બાપુનગરથી નાડોદાનગર સુધીના માર્ગને ડામર રોડ તરીકે બનાવામાં આવશે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ટ્રાફિકમાંથી રાહત મળશે અને અવરજવર વધુ સરળ બનશે.


આ પણ વાંચો-----     Ahmedabad : સાધુ રામકૃષ્ણદાસની હરકત બાદ અન્ય સંતોએ માર માર્યો હોવાની ચર્ચા, ભગવા કપડાં ઉતારાયા

  • Follow us on: