રાજકોટમાં પોન્ઝી સ્કીમ દ્વારા મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ઊંચા વળતરની લાલચ આપી લોકો પાસેથી કરોડો રૂપિયા એકત્ર કરી ઠગાઈ કર્યાના આક્ષેપ સાથે 300થી વધુ લોકો ભોગ બન્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે.


રાહુલ નૈના અને જીતેન્દ્ર નૈનાએ ઠગાઇ કરી હોવાનો આરોપ

માહિતી મુજબ રાહુલ નૈના અને જીતેન્દ્ર નૈના નામના બે ભાઈઓએ “રુદ્રા ટ્રેડિંગ કંપની” નામે કંપની બનાવી રોકાણકારોને ઊંચા નફાની લાલચ આપી હતી. લોકો પાસેથી મોટી રકમ રોકાણ રૂપે લેવાઈ હતી અને થોડા સમય બાદ વધુ વળતર આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો.

અનેક લોકો આ સ્કીમમાં ફસાઈ ગયા

સૂત્રોના જણાવ્યા મુજબ અનેક લોકો આ સ્કીમમાં ફસાઈ ગયા હતા અને તેમણે મોટી રકમનું રોકાણ કર્યું હતું. પરંતુ સમયસર વળતર ન મળતા શંકા ઊભી થઈ હતી. ત્યારબાદ ભોગ બનનારાઓએ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવા માટે પોલીસનો સહારો લીધો છે.

300થી વધુ લોકોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું

ભોગ બનનાર લોકોએ શહેર પોલીસ કમિશનર તેમજ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ક્રાઇમને લેખિત રજૂઆત કરી છે. ફરિયાદમાં જણાવાયું છે કે 300થી વધુ લોકોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું અને હવે તેઓને ભારે નુકસાન થયું છે.

કરોડો રૂપિયાની છેતરપિંડી

પ્રાથમિક અંદાજ મુજબ આ પોન્ઝી સ્કીમમાં કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે રજૂઆતના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. 


આ પણ વાંચો---   Ahmedabad : ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક મોટો આદેશ, મુસ્લિમ યુવકને હિન્દુ યુવતી સાથે લગ્ન કરવા મંજૂરી

  • Follow us on: