રાજકોટ શહેરમાં એક મહિલા પાણીપુરી ખાવા ગયેલી એક મહિલાની હત્યા થઈ ગઈ હતી. આ મામલે રાજકોટ પોલીસ પણ ચકરાવે ચડી હોય તેમ જણાઈ રહ્યું છે. રાજકોટમાં થયેલી મહિલાની હત્યા મામલે 15 શકમંદની પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
શું છે સમગ્ર ઘટના?
રાજકોટ શહેરમાં આવેલી બેડી ચોકડી નજીક ભગવતીપરા વિસ્તારમાં એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો. આ મહિલાનું માથું છુંદાયેલું અને શરીરના અન્ય ભાગો પર તીક્ષ્ણ હથિયારના ઘાના નિશાનો હતા. આ મૃતક મહિલાનું નામ સ્નેહા હિતેશ આસોંડિયા છે. જે તેના કારખાને ગયેલા તેના પતિને ફોન કરીને પાણીપુરી ખાવા જઈ રહી છે, અને કારખાનેથી પરત ફરતા સમયે તેને સાથે લઈ જવા જણાવ્યું હતું. જોકે, પતિને મહિલા પાણીપુરીની લારી પર મળી ન હતી.













