રાજકોટમાં હવેથી અધિકારીઓનું રાજ નહી ચાલે અને થોડા સમય માટે મનપામાં આજથી વહીવટદાર શાસન લાગુ થશે, શાસકોની ટર્મ પૂર્ણ થતાં વહીવટદાર શાસન લાગુ કરાયું છે અને મનપાના વહીવટદાર તરીકે રેમ્યા મોહનની નિમણૂક કરાઈ છે અને ગઈકાલે રાત્રિના પદાધિકારીઓએ પોતાની સરકારી ગાડીઓ કરી જમા અને પદાધિકારીઓ પોતાને મળેલી સરકારી ચેમ્બર પણ કરશે જમા.


નગર સેવકોના હોદ્દા અને સુવિધાઓ છીનવાશે

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટાયેલ પાંખની 5 વર્ષની મુદ્દત આગામી 11 માર્ચના રોજ પૂર્ણ થઈ હતી. લોકશાહી ઢબે ચૂંટાયેલી બોડીની ટર્મ પૂરી થતાની સાથે જ મનપામાં વહીવટદાર શાસનનો આરંભ થશે. રાજ્ય સરકાર દ્વારા આ મહત્વની જવાબદારી રાજકોટના પૂર્વ કલેક્ટર રમ્યા મોહનને સોંપવામાં આવી છે. તેઓ મહાનગરપાલિકાના ઈતિહાસમાં 12માં વહિવટદાર તરીકે કાર્યભાર સંભાળશે. રાજકોટના પૂર્વ કલેક્ટર રેમ્યા મોહનને મનપાના વહીવટદારની જવાબદારી અપાઈ છે.


આ પણ વાંચો : Agriculture News : PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ગુજરાતના આશરે 49.59 લાખ ખેડૂત પરિવારોને રૂ. 1028 કરોડથી વધુની સહાય મળશે



  • Follow us on: