મનપાએ JCB, ટ્રેક્ટર, કટર સહિતના સંસાધનો તૈયાર કર્યા છે અને અલગ-અલગ 5 બોર્ડના અધિકારીઓને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ કરાયા છે, આજી નદીના કાંઠે આવેલા બાંધકામો તોડી પાડવા તૈયારી દર્શાવાઈ છે, પોલીસ અને વિજિલન્સ બંદોબસ્ત માટે તૈયારી કરાઈ છે, પીજીવીસીએલ સહિતના સરકારી વિભાગોને સૂચના અને ડિમોલિશન અંગે સત્તાવાર કોઈ નિર્ણય લેવાયો નથી.
જંગલેશ્વર વિસ્તારમાંથી ગેરકાયદે દબાણો દૂર કરાશે
રાજકોટમાં સરકારી જમીન પર મોટુ ગેરકાયદેસર દબાણ થયું હોવાની વાત સામે આવી હતી અને જંગલેશ્વર વિસ્તારમાં આ દબાણો થયા છે અને તેને દૂર કરવાની કામગીરી કરાશે, તો આ સરકારી જમીનની કિંમત અંદાજે 220 કરોડ જેટલી થાય છે અને આ દબાણો દૂર કરવામાં આવે તો તે જગ્યા પર સરકાર નવા પ્રોજેકટ લાવી શકે છે અથવા તો આવાસના મકાનો પણ બની શકે છે.













