આપણો દેશ ધાર્મિક અને વૈજ્ઞાનિક માનસિકતાવાળો દેશ છે. જેમાં લોકો ધર્મ સાથે સાથે વિજ્ઞાનનો પણ આદર કરે છે. માનવ જીવનમાં પાણીનું અમુલ્ય મહત્વ છે. આવામાં રાજકોટમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જલકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જલકથાનું વાંચન પ્રસિદ્ધ કવિ કુમાર વિશ્વાસ કરશે. આ જલકથાનું આયોજન રાજકોટમાં 15 થી 17 ડિસેમ્બર દરમિયાન કરવામાં આવશે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં જળસંચયના કામોને વેગ આપવામાં આવશે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચયના કામ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 1.11 લાખ જળસંચય સ્ટ્રકચર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે.













