કેરબા અને જગનું પાણી પીવા લાયક ન હોવાનો ખુલાસો મનપાના રીપોર્ટમાં થયો છે અને 93 જેટલા યુનિટમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને પાણીને લઇ રાજકોટવાસીઓએ ઠાલવ્યો આક્રોશ. ‘પાણી પણ ઝેર થઇ ગયું છે તો શું પીવું?’દુકાનો અને ઘરમાં આ પીવાનું પાણી જતું હોવાની વાત સામે આવી હતી.
મિનરલ વોટરના નામે બેક્ટેરિયા યુક્ત પાણીનું વિતરણ
મનપા દ્વારા આજ સુધીમાં 53 યુનિટ સીલ કરવામાં આવ્યા છે અને આ પાણી પીવાલાયક નહી હોવાની વાત સામે આવી છે, 93 યુનિટમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને હજારો ઓફિસ અને ધંધાના સ્થળે આ જગનું પાણી જતું હોવાની વાત સામે આવી છે, પાણીજન્ય રોગાચાળાને કાબુમાં લેવા માટે મનપા દ્વારા આ કામગીરી શરૂ કરી છે, 'મિનરલ વોટર'ના નામે વેંચાતા શંકાસ્પદ વોટર જગ અને બરફના કારખાનાઓ સામે તંત્ર લાલઆંખ કરી રહ્યું છે.













