રાજકોટ રેલવે ડિવિઝનમાં ગુરુવારના રોજ જામનગર-લાખાબાવલ રેલ સેકશન વચ્ચે દોહરીકરણનું સુરક્ષા નિરીક્ષણ સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યુ હતું. રેગ્યુલર ટ્રેનને અપ-ડાઉન માટે ૧૨૦ પ્રતિ કિ.મી.ની રફ્તાર પર સ્પિડ ટ્રાયલ કરાયુ જે સફળ રહેતા હવે આગામી સમયમાં રાજકોટ ડિવિઝનમાં રેગ્યુલર ટ્રેન પણ વંદે ભારતની ગતિએ દોડશે.


સંગઠન અને ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

પશ્ચિમ રેલવે દ્વારા રેલ સુરક્ષા અને સંચાલન ક્ષમતાને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરતા, રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટ હેઠળ જામનગર-લાખાબાવલ (આશરે ૧૦ કિમી) રેલખંડ વચ્ચે નવનિર્મિત અપ મેઈન લાઈન અને ડાઉન મેઈન લાઈનનું સુરક્ષા નિરીક્ષણ આજે રેલ સુરક્ષા કમિશનર ઈ. શ્રીનિવાસ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય વહીવટી અધિકારી (બાંધકામ) પ્રદીપ ગુપ્તા, રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના સહિત બાંધકામ સંગઠન અને ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રવાસન પ્રવૃત્તિઓને નવી ગતિ મળવાની અપેક્ષા છે

સુરક્ષા નિરીક્ષણ દરમિયાન નવી રેલ લાઈનોની સુરક્ષા, સ્થિરતા અને ટેકનિકલ ધોરણોનું પરીક્ષણ કરવા માટે અપ અને ડાઉન બંને લાઈનો પર ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ સફળતાપૂર્વક ચલાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોટર ટ્રોલી દ્વારા પણ વિસ્તૃત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સુરક્ષા નિરીક્ષણના સફળ સમાપન બાદ, આ સેક્શનમાં નિયમિત રેલ સેવાઓનું સંચાલન બંને લાઈનો પર ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે શરૂ થવાની શક્યતા છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી પેસેન્જર અને માલગાડીઓના સંચાલનની લાઈન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે, જેનાથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઔદ્યોગિક, વ્યાપારી અને પ્રવાસન પ્રવૃત્તિઓને નવી ગતિ મળવાની અપેક્ષા છે.


આ પણ વાંચો : Gujarat Police : વર્ષ 2025માં ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપ્યો કરોડોનો દારૂ, બુટલેગરોને ઝડપી કર્યા જેલ હવાલે


  • Follow us on: