સૌરાષ્ટ્રભરમાં પીજીવીસીએલ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બાકી લાઇટ બિલ ધરાવતા ગ્રાહકો સામે કડક કાર્યવાહી કરતા કુલ 30,767 વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા અને અંદાજે 87 કરોડની વસૂલાત કરવામાં આવી હોવાનું તંત્રએ જણાવ્યું છે.
જામનગર જિલ્લામાં 5 હજારથી વધુ કનેક્શન કપાયા
જિલ્લાવાર કાર્યવાહી મુજબ જામનગર જિલ્લામાં 5 હજારથી વધુ કનેક્શન કપાયા હતા. જૂનાગઢ જિલ્લામાં 2 હજારથી વધુ કનેક્શન કપાયા હતા, જ્યારે મોરબી જિલ્લામાં 3 હજારથી વધુ કનેક્શન પર કાર્યવાહી કરવામાં આવી હતી.













