જસદણ શહેરમાં રિવરફ્રન્ટના મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અને લોલમલોલ કામગીરી સામે સંદેશ ન્યૂઝ દ્વારા જે સત્ય બહાર લાવવામાં આવ્યુ હતુ. તેની આજે ધારાર અસર જોવા મળી છે. જસદણ નગરપાલિકા દ્વારા આશરે 6 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થઇ રહેલા આ પ્રોજેક્ટમાં અત્યંત નબળી ગુણવત્તાનું મટીરિયલ વપરાતું હોવાની ફરિયાદ બાદ જ સમગ્ર પ્રોજેક્ટની કામગીરી હાલ બંધ કરી દેવામાં આવી છે.


સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર હરતતમાં આવ્યું

સમગ્ર મામલો સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ હરકતમાં આવતા નગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેને રૂબરૂ સ્થળ મુલાકાત લીધી હતી. ચેરમેને જ્યારે બાંધકામની ગુણવત્તા ચકાસી ત્યારે લોટ-પાણીને લાકડા જેવી સ્થિતિ જોઈને તેઓ ચોંકી ઉઠ્યા હતા. લોકોની સુખાકારી માટે બની રહેલા આ પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટર દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી હતી, જેનો પર્દાફાશ થતા ચેરમેને જાહેરમાં જ કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો હતો.

ગુણવત્તામાં નબળાઇ આવતા કામ બંધ કરાયું

સામાન્ય રીતે સરકારી કામોમાં પેચવર્ક કરીને મામલો થાળે પાડવામાં આવતો હોય છે, પરંતુ આ કિસ્સામાં સમિતિએ કડક વલણ અપનાવ્યું છે. ચેરમેને આદેશ આપ્યો છે કે અત્યાર સુધી કરવામાં આવેલું નબળું કામ સંપૂર્ણપણે ખોદીને ફરીથી નવેસરથી બનાવવામાં આવશે. કોન્ટ્રાક્ટરને કડક સૂચના અપાઈ છે કે જો ગુણવત્તામાં સહેજ પણ બાંધછોડ થશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાશે.

આ પણ વાંચોઃ Suratમાં 7 વર્ષની દીકરીની દીક્ષાનો વિવાદ શમ્યો, માતા પિતા વચ્ચે મનમેળ થતા કેસ પાછો ખેંચાયો


  • Follow us on: