ભારત પાકિસ્તાનના ભાગલા સમયે પાકિસ્તાનથી આવેલા લોકો વસવાટ કરી શકે તે માટે રાજકોટ શહેરમાં રેફ્યુજી કોલોની બનાવવામાં આવી હતી. જો કે એકાએક વહીવટી તંત્ર દ્વારા દોઢ વર્ષથી કોઈપણ પ્રકારનું કારણ રજૂ કર્યા વિના દસ્તાવેજ પ્રક્રિયા બંધ કરી નાખી છે.


 60-70 વર્ષથી અહીં દસ્તાવેજની પ્રક્રિયા શરૂ હતી

 સૌ પ્રથમ આ કોલોનીમાં 99 વર્ષના ભાડાપટે જમીન આપવામાં આવી હતી પરંતુ થોડા સમય બાદ હેતુમાં ફેરફાર કરી વહીવટી તંત્રએ દસ્તાવેજ નોંધવાનું શરૂ કર્યું હતું. ત્યારે છેલ્લા 60-70 વર્ષથી અહીં દસ્તાવેજની પ્રક્રિયા શરૂ હતી.

કોઈપણ પ્રકારનું કારણ રજૂ કર્યા વિના દસ્તાવેજ પ્રક્રિયા બંધ કરી નાખી

પરંતુ એકાએક વહીવટી તંત્ર દ્વારા દોઢ વર્ષથી કોઈપણ પ્રકારનું કારણ રજૂ કર્યા વિના દસ્તાવેજ પ્રક્રિયા બંધ કરી નાખી છે અને સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો કે ધારાસભ્ય દર્શિતા શાહના ઇશારે દસ્તાવેજ પ્રક્રિયા બંધ કરવામાં આવી છે.

સામાજિક અને વ્યવહારીક કામો ઉપરાંત આર્થિક વ્યવહારો અટકી પડ્યા

રાજકોટના જંકશન પ્લોટમાં રેફ્યુજી કોલોની તરીકે ઓળખાતા ૨૬૭ મકાનના દસ્તાવેજ વહીવટી તંત્રએ છેલ્લા દોઢ વર્ષથી બંધ કરી નાખ્યા છે. આઝાદી બાદ પ્રથમ વખત રેફ્યુજી કોલોનીના દસ્તાવેજ બંધ કરવામાં આવતા સ્થાનિકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે કેમ કે દસ્તાવેજ બંધ થવાથી લોકોના સામાજિક અને વ્યવહારીક કામો ઉપરાંત આર્થિક વ્યવહારો અટકી પડ્યા છે. સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે વહીવટી તંત્ર દ્વારા અટકાયેલા દસ્તાવેજો વહેલી તકે શરૂ કરવામાં આવે.


આ પણ વાંચો---  AHmedabad News : ગુજરાત હાઈકોર્ટમાં ફરી બોમ્બની ધમકી, ઈમેલ મળતા જ સુરક્ષા એજન્સીઓ સક્રિય, તપાસ શરૂ

  • Follow us on: