સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ધૂળેટીના દિવસે એક દુઃખદ ઘટના બની છે, જેમાં ત્રણ યુવાન પાનસરા ગામની નદીમાં ન્હાવા જતા ડૂબી ગયા હતા. આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે અને એકની શોધખોળ હજુ ચાલુ છે.
પાનસરા ગામની નદીમાં ન્હાવા ગયા
ઘટના અનુસાર, ત્રણેય યુવકો ધૂળેટી રમ્યા બાદ સમયે પાનસરા ગામની નદીમાં ન્હાવા ગયા હતા. ત્રણેય અચાનક નદીના પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.













