સુરતથી બેંગકોક જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX-1227 સાથે પક્ષી અથડાતા ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પક્ષી અથડાવાને કારણે વિમાનના એન્જિન અથવા પાંખના ભાગે નુકસાન થવાની ભીતિને પગલે ટેકનિકલ ટીમે તપાસ હાથ ધરી હતી. મૂલ્યાંકન બાદ સલામતીના કારણોસર આ વિમાનને ગ્રાઉન્ડેડ જાહેર કરવામાં આવ્યું હતું, જેના કારણે નિર્ધારિત ઉડ્ડયનમાં મોટો વિલંબ થયો હતો.


મુસાફરોની ભારે હાલાકી

આ ફ્લાઇટમાં બેંગકોક જવા માટે કુલ 133 મુસાફરો સવાર હતા. પ્લેન ગ્રાઉન્ડેડ થતા મુસાફરો એરપોર્ટ પર અટવાઈ પડ્યા હતા અને અંદાજે 12 કલાક સુધી રઝળપાટ કરવો પડ્યો હતો. એરલાઇન્સ દ્વારા મુસાફરો માટે તાત્કાલિક અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો.

બીજા પ્લેન દ્વારા ઉડાન

પરિસ્થિતિને થાળે પાડવા માટે એરલાઇન્સ દ્વારા જયપુરથી સુરત જતી અન્ય એક ફ્લાઇટને ડાયવર્ટ કરી સુરત મંગાવવામાં આવી હતી. આ વૈકલ્પિક વિમાન રાત્રે 7:45 કલાકે સુરત પહોંચ્યું હતું. ત્યારબાદ તમામ પ્રક્રિયા પૂર્ણ કરી રાત્રે 8:41 કલાકે આખરે ફ્લાઇટે બેંગકોક જવા માટે ઉડાન ભરી હતી. એરપોર્ટ પર વારંવાર બનતી બર્ડ હિટની ઘટનાઓએ વિમાનની સુરક્ષા અને એરપોર્ટ આસપાસની ગંદકી સામે ફરી સવાલો ઉભા કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: