ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કર્યું હતું. આ કાર્યક્રમ દ્વારા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સુરતને નવી સુવિધાઓની ભેટ મળી છે.


DYCMએ સ્ટાર્ટઅપ બિલ્ડીંગનું ભૂમિ પૂજન કર્યું

ગૃહ રાજ્યમંત્રીએ યુનિવર્સિટી કેમ્પસમાં કલ્પતરુ આરોગ્ય, ધન અને સેવા કેન્દ્ર, પુનઃનિર્મિત નર્મદ સ્મૃતિ ભવન અને અત્યાધુનિક ડાઇનિંગ હોલનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત, ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે યુટિલિટી બિલ્ડિંગ, મ્યુઝિયમ અને ખાસ કરીને યુવાનો માટે સ્ટાર્ટઅપ બિલ્ડિંગનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું.

યુટીલિટી બિલ્ડીંગ, મ્યુઝીયમનું ભૂમિ પૂજન

આ પ્રસંગે સંબોધન કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત પ્રયાસોથી ગુજરાતમાં મોટા પાયે રોકાણ આવી રહ્યું છે. નવા ઉદ્યોગો અને સ્ટાર્ટઅપને કારણે રાજ્યના હજારો યુવાનોને ઘરઆંગણે જ રોજગારીની તકો ઉપલબ્ધ થઈ રહી છે. ગુજરાત આજે રોકાણકારો માટે પ્રથમ પસંદગીનું રાજ્ય બન્યું છે અને યુનિવર્સિટીમાં નિર્માણ પામનાર સ્ટાર્ટઅપ બિલ્ડિંગ નવા સાહસિકો માટે માઈલસ્ટોન સાબિત થશે. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ, સ્થાનિક ધારાસભ્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: