સુરત શહેરમાં યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત એક ભવ્ય સમૂહ લગ્ન સમારોહ 14 માર્ચના રોજ યોજાવાનો હતો, પરંતુ આ કાર્યક્રમ વિવાદના કેન્દ્રમાં આવી ગયો છે. ફાઉન્ડેશન દ્વારા મસ્લિમ યુવતી અને હિન્દુ યુવકના લગ્ન હિન્દુ વિધિથી કરાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
ટ્રસ્ટે અંતે આ લગ્ન રદ કરવાની જાહેરાત કરી
જાહેરાત થયા પછી સમાજમાં ભારે વિરોધ ઉઠ્યો અને કલેક્ટર તેમજ પોલીસ કમિશનર સુધી આ બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આખરે યશવી ટ્રસ્ટે અંતે આ લગ્ન રદ કરવાની જાહેરાત કરી છે.













