આજે ધુળેટીના પર્વ નિમિત્તે દેશ ભરમા રંગોત્સવની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પીપલોદમાં ભારતી મેયા આનંદ ધામની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ભગવાનના દર્શન કરીને વૃદ્ધો સાથે ધુળેટીનો તહેવાર ઉજવ્યો હતો.
વડાપ્રધાન મોદીએ યુદ્ધ રોકાવીને લોકોને પરત લાવ્યા હતાં
આ દરમિયાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે થઈ રહેલા યુદ્ધમાં વિવિધ દેશોમાં ફસાયેલા લોકોને પાછા લાવવાની વ્યવસ્થા કરાશે. ભારત પ્રથમ દેશ છે જે વિકટ સ્થિતિમાં લોકોને પરત લાવવામાં સફળ થયો છે. વડાપ્રધાન મોદીએ યુદ્ધ રોકાવીને ભારતીયોને વતનમાં પરત લાવ્યા હતાં. તેઓ વિકટ સ્થિતિમાં પણ લોકોનો સાથ નથી છોડતા. હવે આ સ્થિતિમાં પણ ફ્લાઈટ શરૂ થઈ ગઈ છે અને લોકો પરત ફરી રહ્યાં છે.













