સુરતના વ્યસ્ત ચૌટા બજાર વિસ્તારમાં ફેરિયાઓ દ્વારા કરવામાં આવતા દબાણના મામલે સુરત મહાનગર પાલિકાએ વધુ એક કડક કાર્યવાહી હાથ ધરી છે. ફેરિયાઓ માટે દબાણ કરવા માનીતી જગ્યા તરીકે ઉપયોગમાં લેવાતી ચૌટા બજારની કેલાપીઠ વિસ્તારમાં આવેલ એક જર્જરિત ઇમારતને પાલિકાએ સીલલ કરી દીધી છે.


 આ ઇમારતનો ઉપયોગ ફેરિયાઓ દ્વારા ગોડાઉન તરીકે કરવામાં આવી રહ્યો હતો

મળતી માહિતી મુજબ આ ઇમારતનો ઉપયોગ ફેરિયાઓ દ્વારા ગોડાઉન તરીકે કરવામાં આવી રહ્યો હતો. અંદાજે 30 ફૂટ પહોળી જાહેર જગ્યામાં ફેરિયાઓ દ્વારા મોટાપાયે દબાણ કરવામાં આવતું હોવાથી વિસ્તારમાં સતત ટ્રાફિક સમસ્યા ઊભી થઈ રહી હતી, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓએ ભારે હાલાકી ભોગવવી પડતી હતી.

રિપેરિંગ તથા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવા માટે નોટિસો આપી હતી

ચૌટા બજારમાં દબાણ હટાવવાની કાર્યવાહી વચ્ચે પાલિકાની આ વધુ એક કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. નોંધનીય છે કે વર્ષ 2019, 2023 અને 2025 દરમિયાન સુરત મહાનગર પાલિકાએ સંબંધીત ઇમારતના માલિકોને રિપેરિંગ તથા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવા માટે નોટિસો આપી હતી, પરંતુ તેના પાલન ન થતા અંતે સીલ કરવાની કાર્યવાહી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

 ફેરિયાઓમાં ફફડાટનો માહોલ

પાલિકાની આ કાર્યવાહીથી ચૌટા બજારમાં દબાણ કરનાર ફેરિયાઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. પાલિકા તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ દબાણ દૂર કરવા માટે ઝુંબેશ ચાલુ રહેશે તેમ સંકેત આપવામાં આવ્યો છે.


આ પણ વાંચો----    Gujarat Flashback 2025 : આ વર્ષે ગુજરાત રહ્યું હતું અગ્રેસર, સ્વચ્છતામાં અમદાવાદને મળ્યો હતો સૌથી સ્વચ્છ મોટા શહેરનો એવોર્ડ તો સુરત અને ગાંધીનગર પણ

  • Follow us on: