સુરતથી પોતાના વતન જવા માટે મુસાફરો રેલવે સ્ટેશન ભીડ લગાવીને બેઠા છે અને ભીડને પહોંચી વળવા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. હોળી ધુળેટીને લઈને મોટી સંખ્યામાં ડાઇન પ્રિન્ટિંગ અને લુમ્સના કામદારો જાય છે બિહાર અને ઉત્તર પ્રદેશ અને રેલ્વે દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉત્તર ભારતમાં દિવાળી કરતા પણ વિશેષ રીતે હોળી-ઘુળેટીનું પર્વ મનાવવામાં આવે છે
અમદાવાદમાં વસવાટ કરતા યુપી, બિહાર સહિતના રાજ્યોના હજારો લોકો આ તહેવાર ઉજવવા માટે પોતાના વતનમાં જાય છે. અત્યારથી આ પરિવારો પોતાના વતનમાં જવા માંડ્યા છે. જેમાં ગુરૂવાર બાદની અમદાવાદથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો હઉસફૂલ થઈ ગઈ છે.













