સુરત શહેરમાં આગ લાગવાનો સિલસિલો યથાવત છે. એક અઠવાડિયામાં આગ લાગવાની ત્રીજી ઘટના નોંધાતા શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પુણા વિસ્તારમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.


આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો

ઘટનાની મળતી વિગતો અનુસાર, સુરત શહેરમાં આવેસા પુણા વિસ્તારમાં એક મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. હરેકૃષ્ણ સોસાયટીમાં મકાન નંબર 35માં આગ લાગવાની ઘટનાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મકાનના બીજા માળે આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

આ આગ શોર્ટ સર્કીટના કારણે લાગી હોવાનું અનુમાન પ્રાથમિક તપાસ બાદ લગાવવામાં આવી રહ્યું છે. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં એક અઠવાડિયામાં આગની ત્રીજી ઘટના છે.


આ પણ વાંચો - Gandhinagar: બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ધો. 10 અને 12 સામાન્ય પ્રવાહના ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો


  • Follow us on: