સુરતના જાણીતા અને સરકારી વકીલ નયન સુખડવાલા સાયબર ક્રાઈમનો ભોગ બન્યા છે. હેકર્સે તેમનું ઓરિજિનલ ફેસબુક એકાઉન્ટ હેક કરીને તેમના નામનો દુરુપયોગ શરૂ કરતા કાયદાકીય આલમમાં ચકચાર મચી ગઈ છે.
હેકર્સે એકાઉન્ટના ઉપયોગથી પૈસાની માંગણી શરૂ કરી
એકાઉન્ટ હેક કર્યા બાદ હેકર્સે નયનભાઈના મિત્ર વર્તુળ અને અન્ય વકીલોને મેસેન્જર પર મેસેજ કરવાનું શરૂ કર્યું હતું. હેકર્સ પરિચિતો પાસે તાત્કાલિક જરૂરિયાત હોવાનું બહાનું બતાવી ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવાની માંગણી કરી રહ્યા હતા. પોતાનું એકાઉન્ટ હેક થયું હોવાની જાણ થતા જ નયન સુખડવાલાએ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી છે.













