ભાવનગરના બગદાણામાં નવનીત બાલધિયાને માર મારવાની ઘટનામાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજને જેલ ભેગો કરવામાં આવ્યો છે.આ ઘટના બાદ સુરત ખાતે કોળી સમાજની એક બેઠક મળી હતી. આ બેઠકમાં ધારાસભ્ય હીરા સોલંકીએ આક્રમક અંદાજમાં નિવેદન આપ્યું હતું. તેમણે આડકતરી રીતે હવે કોળી સમાજ કોઈની દાદાગીરી સહન નહીં કરે તેવો પડકાર ફેંક્યો હતો.


માર ખાવો અને માર મારવો એને મર્દાનગી કહેવાય

સુરતમાં કોળી સમાજની બેઠકમાં ધારાસભ્ય હીરા સોલંકીએ કહ્યું હતું કે, માર ખાવો અને માર મારવો એને મર્દાનગી કહેવાય પણ એક માર ખાય અને આઠ લોકો મારે તેને મર્દાનગી ના કહેવાય. એક યુવાનને આઠ આઠ લોકો માર મારીને વીડિયો બનાવતા હતાં અને તેનાથી દહેશત ઉભી કરવા માંગતા હતાં. સ્વાભાવિક રીતે માર ખાવા વાળા વીડિયો ઉતારતા હોય છે. આ કેસમાં પોતે મારે છે અને વીડિયો ઉતારે છે.

આજ પછી આવી દાદાગીરી સહન નહીં થાય

આ બાબત મારા મગજમાં ખટકી ગઈ હતી. આજ પછી આવી દાદાગીરી સહન નહીં થાય. ચાહે કોઈ પણ હોય ખોટી દાદાગીરી સહન કરી લેવામાં નહીં આવે. આપણે તો ભડનો દીકરો માર ખાઈને પણ માફી નથી માગી આવ્યો. એ તેની મર્દાનગી છે. મને આ ઘટનાને લઈને ફોન આવ્યો અને મેં કહ્યું કાલે આવું છું. ત્યાર બાદ સમાજના અનેક યુવાનો સ્વયંભૂ ભેગા થયા હતાં. 


આ પણ વાંચોઃ Sports: શું અમેરિકામાં ફિફા વર્લ્ડકપ થશે રદ્દ, આ ટુર્નામેન્ટનો કરશે બોયકોટ!


  • Follow us on: