સુરત મહાનગરપાલિકા દ્વારા ભીમરાડથી સિદ્ધાર્થનગર થઈ ડીંડોલી જતા માર્ગ પર નવીન ફ્લોરિંગ ફ્લાયઓવર જંકશન પાસે રૂ.34 કરોડના ખર્ચે નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું હતું.


ફ્લાયઓવર બ્રિજ 45 મીટર પહોળા સી.સી. રોડ સાથે ભીમરાડ વિસ્તારને જોડે

સુરત નવસારી રોડ ક્રોસ કરતા નવીન ફ્લોરિંગ ફ્લાયઓવર જંકશન પર આવેલા આ ફ્લાયઓવર બ્રિજની લંબાઈ ૫૦૨ મીટર અને પહોળાઈ ૨૨.૫ મીટર છે. ફ્લાયઓવર બ્રિજ ૪૫ મીટર પહોળા સી.સી. રોડ સાથે ભીમરાડ વિસ્તારને જોડે છે, જ્યારે બ્રિજનો બીજો છેડો ભેસ્તાન અને કરાડવાને જોડાતા સિદ્ધાર્થનગર ખાતે ચાલતા રેલ્વે ઓવરબ્રિજના કામ સાથે સંકળાયેલો છે.

સુરત એરપોર્ટ તરફ નવી સમાંતર કનેક્ટિવિટી ઉપલબ્ધ બનશે

આ બ્રિજના નિર્માણથી હાલમાં બ્રિજની નજીક આવેલા ભગવતીનગર ઇન્ડસ્ટ્રીઝ તેમજ ઉધના મેઈન રોડ ઉપરથી પસાર થતા વાહનોના ટ્રાફિકથી રાહત થશે. ભવિષ્યમાં સિદ્ધાર્થનગર રેલ્વે ઓવરબ્રિજના કામની પૂર્ણતા બાદ આ ફ્લાયઓવર મારફતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૪૮ થી ૫૩ તેમજ સુરત એરપોર્ટ તરફ નવી સમાંતર કનેક્ટિવિટી ઉપલબ્ધ બનશે. જેના કારણે આ વિસ્તારના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્ય મનુભાઇ પટેલ, મનપાના અધિકારી- કર્મચારીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો : Gujarat Forest : ગુજરાતમાં વાઘના આગમન બાદ તેના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ સજજ : વન મંત્રી અર્જુન મોઢવાડિયા



  • Follow us on: