સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મંદરોઈ ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં ખેડૂતના ઉભા પાકને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે જેથી ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. અજાણ્યા ટીખળખોરે ખેડૂતના પરવળના પાકમાં ઝેરી દવા છાંટીને ભારે નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે.
પાકના માંડવામાં ઝેરી દવા છાંટી દીધી
મળતી માહિતી મુજબ મંદરોઈ ગામના ખેડૂતે પોતાના ખેતરમાં પરવળ શાકભાજીનો પાક ઉભો કર્યો હતો. પાક ઉત્પાદનની શરૂઆતના તબક્કે હતો ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ પાકના માંડવામાં ઝેરી દવા છાંટી દીધી હતી. જેના કારણે આખા પાકને ભારે નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે.













