સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેણાંક સોસાયટીઓમાં ચાલતી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ સામે પાલિકા તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. વરાછા ઝોન દ્વારા ગંગેશ્વર સોસાયટીમાં લાંબા સમયથી ચાલતી ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ એક્ટિવિટીઝ પર ત્રાટકીને દુકાનો, ગોડાઉન અને એક નર્સરીને સીલ મારી દેવામાં આવ્યા છે.
સ્થાનિકોની ફરિયાદ બાદ એક્શન
ગંગેશ્વર સોસાયટીના રહીશો દ્વારા વારંવાર ફરિયાદ કરવામાં આવી હતી કે રહેણાંક વિસ્તાર હોવા છતાં અહીં મોટા પાયે ઇન્ડસ્ટ્રીયલ કામગીરી અને ગોડાઉન ચાલી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવી પડતી હતી. આ ફરિયાદને આધારે વરાછા ઝોનના અધિકારીઓએ સ્થળ તપાસ કરી તાત્કાલિક અસરથી સીલિંગની કામગીરી હાથ ધરી હતી.













