સુરતમાં શિયાળાની શરૂઆત સાથે જ શાકભાજીના ભાવમાં અસામાન્ય વધારો નોંધાતા સામાન્ય અને મધ્યમવર્ગના પરિવારો માટે રસોડું ચલાવવું મોંઘું બન્યું છે. તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે, જેના પરિણામે બજારમાં આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને ભાવ આસમાને પહોંચી ગયા છે.
જે શાકભાજી પહેલાં આસાનીથી રૂપિયા 40 પ્રતિ કિલોના ભાવે મળતા હતા, તેના ભાવ હવે રૂપિયા 100 થી 140 પ્રતિ કિલોને પાર કરી ગયા છે. ખાસ કરીને લીલા શાકભાજીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.













