સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વઢવાણ વિસ્તારમાં દસ દિવસથી પીવાનું પાણી ના મળતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


છેલ્લા દસ દિવસથી પાણી માટે વલખાં

સુરેન્દ્રનગરના વઢવાણના કોળીપરા, નવા દરવાજા અને દોદરકોઠા જેવા વિસ્તારોના લોકો છેલ્લા દસ દિવસથી પાણી માટે વલખાં મારી રહ્યા છે.

રજૂઆતો છતાં તંત્રની સુસ્ત કામગીરી

સ્થાનિક લોકો અને મહિલાએ તંત્રને અનેક વખત રજૂઆતો કરી, પરંતુ હજુ સુધી સમસ્યાના નિરાકરણ માટે કોઈ કામગીરી કરવામાં આવી નથી. પાણીની આ અછતને કારણે સામાન્ય લોકો રોજિંદી જીવનમાં ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે.

ચક્કાજામની ચીમકી

ગ્રામસહીતના લોકોએ ચીમકી આપી છે કે જો તાત્કાલિક પાણીનું વિતરણ શરૂ નહી કરવામાં આવે, તો તેઓ સુરેન્દ્રનગર-ધંધુકા હાઇવે પર ચક્કાજામ કરશે.

તંત્રએ તાત્કાલિક પગલાં લેવાની જરુરી

વઢવાણના રહેવાસીઓ તંત્ર તરફથી તાત્કાલિક પાણીની પુરવઠાની માંગ કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે, દૈનિક જીવન માટે પીવાનું પાણીનો અભાવ ખુબ જ ગંભીર સમસ્યા બની ગઇ છે અને તંત્રએ તાત્કાલિક પગલાં લેવાની જરુરી છે.


આ પણ વાંચો----     Vadodara : અનગઢ પાસે રેલવે ટ્રેક પર શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળવાના મામલામાં મોટો ઘટસ્ફોટ, પોલીસ પણ ચોંકી ઉઠી

  • Follow us on: