બોટાદમાં યોજાયેલા ખેડૂત મહા સંમેલન બાદ પોલીસ સાથે ઘર્ષણ થતાં ખેડૂતો અને આમ આદમી પાર્ટીના નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યાર બાદ રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત ખેડૂતોને જેલ હવાલે કરાયા હતાં. તાજેતરમાં તમામ લોકોને જામીન પર જેલ મુક્ત કરવામાં આવ્યા હતાં. હવે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આવતીકાલે સુરેન્દ્રનગરમાં રાજુ કરપડાના સમર્થનમાં મહાસભા યોજાશે.
રાજુ કરપડાના સમર્થનમાં કિસાન ક્રાંતિ સભા
આવતીકાલે સુરેન્દ્રનગરમાં રાજુ કરપડાના સમર્થનમાં કિસાન ક્રાંતિ સભા યોજાશે. મુળી તાલુકાના ગઢાદ ગામમાં કિસાન ક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં ફરીવાર મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહે તેવી શક્યતાઓ છે. આ સભા સ્વયંભૂ રીતે ખેડૂતોનો ફાળો એકત્ર કરીને યોજાઈ રહી છે. આ સભામાં હજારો ખેડૂતો હાજર રહે તેવી સંભાવના છે.













