સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા મૂળી અને થાનગઢમાં ગેરકાયદે ખનનને લઈ અડધી રાત્રે ચેકિંગ કરવામાં આવ્યું હતું જેના પગલે ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો


 ખાનગી માલિકીની જમીનમાં અગાઉ ગેરકાયદે ખનન થતું

માહિતી મુજબ, મૂળી તાલુકાના આસુદ્રાળી અને થાનગઢ તાલુકાના નળથંભા ગામની ખાનગી માલિકીની જમીનમાં અગાઉ ગેરકાયદે ખનન થતું હતું.

 કોલસાના કુવા ચાલુ હાલતમાં ના મળ્યા

ચેકિંગ દરમિયાન નાયબ કલેક્ટરે ખાતરી કરી કે અગાઉ બંધ કરાવવામાં આવેલ ગેરકાયદે ખનન પર હવે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ. જો કે તપાસમાં કોઈપણ ગેરકાયદે કોલસાના કુવા ચાલુ હાલતમાં નથી મળી આવ્યા.

 તંત્રએ જણાવ્યું કે આકસ્મિત ચેકિંગ યથાવત રહેશે

 આ પ્રકારની રાત્રિ ચેકિંગ હવે ભવિષ્યમાં પણ ચાલુ રહેશે જેથી ગેરકાયદે ખનન અટકાવી શકાય.  


આ પણ વાંચો----   Surendranagar: જમીન કૌભાંડમાં તપાસનો ધમધમાટ તેજ, ED દ્વારા તત્કાલીન કલેકટરના PA, કલાર્ક અને વકીલને તેડું

  • Follow us on: