ગુજરાતમાં થોડા સમય પહેલા જ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદ નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે. હવે આ જિલ્લામાં 2026ના રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવાનો સરકારે નિર્ણય લીધો છે. આ જિલ્લામાં 25 અને 26 જાન્યુઆરીએ વિવિધ કાર્યક્રમો યોજાશે.
ઉજવણી માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી
થોડા સમય પહેલા જ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વાવ- થરાદને નવો જિલ્લો બનાવવામાં આવ્યો હતો. આ જિલ્લામાં હવે રાજ્ય સરકાર દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ પર્વ માટે યોજાતા વિવિધ કાર્યક્રમો માટેની પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.













